વેબસિરીઝ ફર્ઝી અને નુક્કડ સિરિયલ ફેઈમ દિગ્ગજ અભિનેતા સમીર ખખ્ખરનું 70 વર્ષની વયે નિધન

તા.15\3\2023 માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)

ફિલ્મ જગતના ખ્યાતનામ કલાકાર, ગુજરાતી રંગભૂમિ, ટી.વી. સિરિયલ અને ફિલ્મ જગતના ખ્યાતનામ કલાકાર સમીર ખખ્ખરનું દુઃખદ અવસાન થયું છે. સમીર ખખ્ખરને શ્વાસ લેવામાં તકલીફ અને અન્ય તબીબી સમસ્યાઓ હતી. ગઈકાલે બપોરે તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. આ પછી સમીરને બોરીવલીની એમએમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં રાતે 10 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા.સમીર 90ના દાયકામાં ફિલ્મોમાં જાણીતો ચહેરો હતા અને ‘પુષ્પક’, ‘શહેનશાહ’, ‘રખવાલા’, ‘દિલવાલે’, ‘રાજા બાબુ’ જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો હતો. વર્ષ 1996માં ભારત છોડીને અમેરિકામાં રહેવા લાગ્યા હતા. હાલમાં રિલીઝ થયેલી શાહિદ કપૂર સાથે ‘ફર્ઝી’માં પણ જોવા મળ્યા હતા. વર્ષ 1996માં ભારત છોડીને અમેરિકામાં રહેવા માટે જતા રહ્યા હતા.

સમીરે એક્ટિંગ કરિયરની શરૂઆત સિરિયલ ‘નુક્કડ’થી કરી હતી. આ પછી તેઓ દૂરદર્શનની સિરિયલ નુક્કડમાં ‘ખોપડી’નો રોલ નિભાવ્યો હતો. ‘સર્કસ’માં ચિંતામણિનો રોલ પણ કર્યો હતો. સમીરે ડીડી મેટ્રોની સિરિયલ ‘શ્રીમાન શ્રીમતી’માં ફિલ્મ નિર્દેશક ટોટોની ભૂમિકા પણ ભજવી હતી. થોડા સમય પહેલાં તેઓ સિરિયલ ‘સંજીવની’માં પણ ગુડ્ડુ માથુરની ભૂમિકામાં જોવા મળ્યા હતા. સમીર થોડાં વર્ષો પહેલાં ‘હસી તો ફસી’, ‘જય હો’, ‘પટેલ કી પંજાબી શાદી’ જેવી ફિલ્મોમાં પણ જોવા મળ્યા હતા.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com