માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)
વિજયનગર પીએસઆઈ.દ્વારા સ્કૂલ વાહન ચાલકોને વાહનવ્યવહાર કાયદાઓથી જાગૃત કરવામાં જાગૃતિ કાર્યક્રમ યોજ્યા હતા.
રાજ્ય સરકારના વાહન વ્યહવાર કમિશનરના પરિપત્ર તથા જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામામાં જણાવેલ સૂચનાઓનું સ્કૂલ બસ-વાહનના માલિકો,ચાલકો દ્વારા પાલન થાય છે કે કેમ? તે બાબતે વિજયનગરની બે સ્કૂલોની વિજયનગર પીએસઆઈ વાય. બી. બારોટે મુલાકાત લઇ સ્કૂલ સંચાલકો,વાહન ચાલકો,વાહન માલિકોને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાથી અવગત કરાવ્યા હતા. સાથે જાહેરનામાની નકલ આપી સૂચનાઓનું અક્ષરશ પાલન નહીં કરાય તો કાનૂની કાર્યવાહી સારું તૈયાર રહેવા તાકીદ કરી હતી.