તાહીર ધનસુરીયા (અરવલ્લી સમાચાર)
- મોડાસા કંથારીયા એસટી બસમાં મારમારીની ઘટના
- બસની અંદર બેસવાની જેવી સામાન્ય બાબતે બસમાં બબાલ
- શામળાજીના દેહગામડા પાસેની ઘટના
- 20થી વધુ શખ્સોના ટોળા એ બસ રોકીને બસની અંદર ઘૂસીને હુમલો કર્યાના આક્ષેપ
- સોશિયલ મીડિયામાં ઘટનાના વિડિઓ વાયરલ થયાં
- બસમાં બેસેલા અન્ય મુસાફરો ના જીવ તાળવે ચોંટ્યા
- સલામત સવારી એસટી અમારીમાં મુસાફરો અસલામત
- ઘટના અંગે ભોગ બનનાર મુસાફરના પરિવારે શામળાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી
અરવલ્લી જીલ્લામાં બસમાં મારામારીની ઘટના સામે આવી છે શામળાજીના દેહગામડા પાસે ઘટના ઘટી હતીં મોડાસા કંથારિયાની બસ મુસાફરો ભરીને જઈ રહેલ હતી તે દરમિયાન બસની અંદર બેસવાની જેવી સામાન્ય બાબતે મુસાફરો વચ્ચે બબાલ થતા ૨૦થી વધુના ટોળાએ બસ રોકીને બસની અંદર ઘૂસીને હુમલો કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે બસમાં બેસેલા અન્ય મુસાફરોના જીવ પણ તાળવે ચોટયા હતા સલામત સવારી એસટી અમારીમાં મુસાફરો અસલામત બન્યા હોય તેમ મુસાફરોએ અનુભવ્યું હતું સોશિયલ મીડિયામાં ઘટનાના વિડિઓ વાયરલ થયાં છે ઘટના અંગે ભોગ બનનાર મુસાફરના પરિવારે શામળાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી