સ્વાસ્થ્યનો ખજાનો છે કાચી કેરી! ફાયદા જાણશો તો બે હાથે ખાશો, શું કહે છે ડાયટિશિયન?

માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)

ઉનાળામાં લોકોને કેરી ખાવી ખૂબ જ ગમે છે. કાચી કેરી ઘણા લોકો અને ઘણી રીતે ખાય છે. લોકો કાચી કેરીમાંથી ચટણી અને અથાણું બનાવે છે અને તેને આનંદથી ખાય છે. આવો અમે તમને જણાવીએ કે તેને રોજ ખાવાથી શું ફાયદા થાય છે.

ઈમ્યુનીટી બુસ્ટર-
કાચી કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. કાચી કેરી ખાવામાં સ્વાદિષ્ટ હોય છે. લોકો તેને ઘણી રીતે ખાવાનું પસંદ કરે છે. તે ઘણા પોષક તત્વોથી ભરપૂર માનવામાં આવે છે. ફેમસ ડાયટિશિયન આયુષી યાદવે જણાવ્યું કે જો તમે રોજ કાચી કેરી ખાઓ છો તો તે તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તે ઘણી ગંભીર બીમારીઓથી બચવામાં ખૂબ જ ફાયદાકારક છે.

લૂ થી બચાવશે-
તેમાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન ઇ, ફાઇબર, કેલ્શિયમ અને અન્ય ઘણા પોષક તત્વો મળી આવે છે. ઉનાળામાં કાચી કેરીનું સેવન કરીને તમે તમારી જાતને હીટસ્ટ્રોકથી બચાવી શકો છો. કેટલાક લોકો કેરીના પન્ના પણ બનાવીને પીવે છે. જો તમે દરરોજ તેનું સેવન કરો છો, તો પાચનમાં નોંધપાત્ર સુધારો થાય છે. આંતરડાની ગતિને પ્રોત્સાહન આપે છે અને કબજિયાત અટકાવે છે. ઉનાળાની વધતી જતી ગરમીમાં લૂથી બચવા માટે કાચી કેરી અક્સીર ઉપાય છે. સાથે જ ગરમીના કારણે શરીર થતી અળાઇને પણ દુર કરે છે. કાચી કેરી ગરમીમાં શરીરને આંતરીક ઠંડક આપે છે જેથી શરીરનું તાપમાન જળવાઇ રહે છે અને ગરમી સામે લડી શકે છે.

શરીરમાં પાણીનો અભાવ-
ઉનાળામાં લોકોને બહાર નીકળતી વખતે હીટસ્ટ્રોકનો સામનો કરવો પડે છે. હીટ સ્ટ્રોકથી બચવા માટે કાચી કેરી ખાવી ખૂબ જ જરૂરી છે. તેમાં રહેલા ગુણો શરીરને ગરમીથી ઘણી હદ સુધી બચાવે છે. આ તમારા શરીરને ઠંડુ રાખવા માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમારા શરીરમાં પાણીની ઉણપ હોય તો પણ તમારે તેનું સેવન કરવું જોઈએ.

હાડકાં મજબૂત કરે છે-
દરરોજ કાચી કેરી ખાવાથી હાડકાં વધુ મજબૂત બને છે. તેમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. હાડકાંને સ્વસ્થ અને મજબૂત બનાવવા માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. લોકો તેને ઘણી રીતે ખાવાનું પસંદ કરે છે, તમે તેને ચટણી અથવા પન્ના, અથાણું વગેરેમાં પણ સરળતાથી ખાઈ શકો છો. ઉનાળામાં તેને ખાવું ખૂબ જ ફાયદાકારક છે.

લોહીનું દબાણ-
તમે દરરોજ લગભગ 100 ગ્રામ કાચી કેરીનું સેવન કરી શકો છો. તમારે મોટી માત્રામાં કાચી કેરીનું સેવન ન કરવું જોઈએ. ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરથી પીડિત લોકોએ ડૉક્ટરની સલાહ લીધા પછી જ તેનું સેવન કરવું જોઈએ. બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદરૂપ થઈ શકે છે.

કાચી કેરી અમૃત સમાન-
એક કાચી કેરીમાં સફરજન, કેળા, લિંબુ અને સંતરા કરતા પણ વધુ વિટામિન સી હોય છે. કાચી કેરીમાં એટલી બધી માત્રામાં જુદા જુદા પોષક તત્વો મળે છે કે જેનાથી ઘણી બિમારીઓને દુર કરી શકાય છે. કાચી કેરીને ખાવાથી શરીરમાં પાણીની અછત નથી સર્જાતી.

વજન ઓછુ કરવા-
કાચી કેરીમાં મોટા પ્રમાણમાં ફાયબરની માત્રા જોવા મળે છે. જે શરીરની વધારાની ચરબીને દૂર કરે છે. સાથે જ કેરીમાં કુદરતી ગ્લુકોઝ ખુબ ઓછા માત્રામાં હોય છે જેના કારણે વજન વધવાની શક્યતા નહીંવત થઈ જાય છે.

એસિડિટી દૂર થશે-
એસિડિટીની ફરિયાદ રહેતી હોય તેમણે ખાસ બપોરના ભોજનમાં કાચી કેરી લેવી જોઈએ. આજના સમયમાં અનિયમિત ખાન-પાનના કારણે એસિડિટી સામાન્ય થઇ ગઇ છે. પરંતુ કાચી કેરીના સેવનથી એસિડિટીની સમસ્યા થતી નથી.

લિવર માટે ફાયદારૂપ-
કાચી કેરી ખાવાથીથી લિવરની સમસ્યામાં સુધારો લાવી શકાય છે. કાચી કેરી લિવરની કામગીરીને સુધારવાનો  કુદરતી ઉપાય છે. લિવરમાં પિત્ત અને એસિડના કારણે અનેક જાતના રોગ થાય છે. કાચી કેરી આંતરડામાં થતા સંક્રમણને પણ દુર કરે છે.

દાંત સ્વસ્થ થશે-
કાચી કેરીથી ફક્ત પેઢા જ નહીં દાંત પણ સાફ થાય છે. કાચી કેરીના કારણે દાંત લાંબા સમય સુધી મજબૂત રહે છે. તેમજ મોઢામાંથી આવતી શ્વાસની દુર્ગંધ પણ દુર થાય છે.

રોગપ્રતિકારક શક્તિ વધશે-
કાચી કેરી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. સાથે જ કેટલાય રોગોથી લડવાની ક્ષમતા આપે છે.

રક્ત વિકારને દુર કરશે-
કાચી કેરીમાં વિટામીન સીની માત્રા વધુ હોવાથી લોહીના વિકાર સામે લડવામાં મદદ મળે છે. રક્ત વિકારની સમસ્યાને કાચી કેરીના સેવનથી દુર કરી શકાય છે.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com