ચૈત્ર નવરાત્રી પૂર્વે પ્રક્ષાલન વિધિ યોજાશે:ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર 5 એપ્રિલે ભક્તો માતાજીના દર્શન નહીં કરી શકે

રીટા જાડેજા ,(અરવલ્લી સમાચાર )

આગામી ચૈત્રી નવરાત્રી પર્વ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે 5 એપ્રિલે 2024ને શુક્રવારના રોજ પ્રક્ષાલન વિધિ હોવાને લઈને મંદિર બંધ રહેશે. જેને લઈને ભક્તો દર્શન નહીં કરી શકે જે અંગેની જાણકારી મંદિર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી છે.

આ અંગેની વિગત એવી છે કે, ખેડબ્રહ્મામાં આવેલ અંબિકા માતાજી મંદિરે 5 એપ્રિલના રોજ 9 કલાક મંદિર બંધ રહેશે જેને લઈને ભક્તો માતાજીના દર્શન કરી શકશે નહીં. આ અંગે અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ જયદીપસિંહ રાઠોડે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, અગામી 9 એપ્રિલના રોજ મંગળવારથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થવાનો છે. તેને લઈને મંદિરમાં સવારે 8થી સાંજના 5 વાગ્યા દરમિયાન મંદિરમાં પ્રક્ષાલન વિધિ કરવામાં આવશે જેને લઈને મંદિર બંધ રહેશે. પ્રક્ષાલન વિધિ પૂર્ણ થયા બાદ રાબેતા મુજબ સાંજે મંદિરમાં આરતી થશે.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com