માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)
શક્તિ ઉપાસનાના પ્રથમ દિવસની દેવી શૈલપુત્રી છે. આજે દેવીના આ સ્વરૂપની પૂજા કરવામાં આવશે. દેવી પૂજાના વિશેષ ગ્રંથ માર્કંડેય પુરાણ અનુસાર, દેવીને આ નામ રાજા હિમાલયના સ્થાને જન્મ લેવાથી પડ્યું હતું. શૈલપુત્રીને અખંડ સૌભાગ્ય અને સમૃદ્ધિની દેવી પણ માનવામાં આવે છે.
જાણો તેમની પૂજા પદ્ધતિ…
બાજોઠ પર દેવીની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરો. ગંગાજળ અથવા ગૌમૂત્રથી શુદ્ધ કરો. બાજોઠ પર ચાંદી, તાંબા અથવા માટીના ઘડામાં પાણી ભરીને તેના પર નારિયેળ મૂકી કળશની સ્થાપના કરો. દેવીની પૂજા કરવાનો સંકલ્પ લો અને નવરાત્રિનું વ્રત રાખો. ભગવાન ગણેશની પૂજા કરીને દેવીની પૂજા શરૂ કરો. પૂજામાં સૌ પ્રથમ જળ, પછી દૂધ, નારાછડી, ચંદન, અક્ષત, ફૂલ, કુમકુમ, હળદર ચઢાવો. ધૂપ અને દીવા પ્રગટાવો, નૈવેદ્ય તરીકે ખીર અને ફળો ચઢાવો અને આરતી કરો.
નવરાત્રીના પહેલા દિવસે દેવી શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. હિમાલયની પુત્રી હોવાને કારણે તેને શૈલપુત્રી કહેવામાં આવે છે. જેમ હિમાલય પર્વતોનો રાજા છે. તે મક્કમ છે, તેને કોઈ હલાવી શકતું નથી. તેવી જ રીતે દેવી શૈલપુત્રીની પૂજા કરવાથી મન સ્થિર બને છે. જે આત્મવિશ્વાસ વધારે છે. આના કારણે વ્યક્તિને દરેક મુશ્કેલ કાર્ય કરવાની હિંમત મળે છે અને તેમાં સફળતા પણ મળે છે, તેથી માર્કંડેય પુરાણમાં દેવી શૈલપુત્રીની પૂજા કરવાની રીત છે.