તાહીર ધનસુરીયા (અરવલ્લી સમાચાર
- અયોધ્યાથી અક્ષત ભરેલ કુંભ ગુજરાત પહોંચ્યો
- યાત્રાધામ શામળાજીમાં અક્ષત કુંભનું કરાયુ પૂજન
- વીએચપી સહિત સંઘ પરિવાર દ્વારા અક્ષત કુંભનું કરાયું સ્વાગત
- શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પણ કુંભનું પૂજન કરાયું
- આગામી 22 જાન્યુના રોજ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા
- અક્ષત દ્વારા તમામ હિન્દૂ પરિવારોને અપાશે અયોધ્યા માટે આમંત્રણ
- 1 જાન્યુઆરી થી 15 જાન્યુ સુધી અક્ષત દ્વારા હિન્દૂ પરિવારોને કરાશે નિમંત્રીત
વિશ્વ હિન્દુ પરિષદ અરવલ્લીના અગ્રણીએ જણાવ્યું કે અયોધ્યામાં 5 નવેમ્બરે પૂજન કરાયેલ અક્ષત કુંભનું શામળાજીમાં પૂજન અર્ચન કરાયું હતું અને અક્ષત કળશ ના વધામણાં કરાયા હતા. આ અક્ષતમાં અન્ય અક્ષત ભેળવીને ગામેગામ ધાર્મિક સ્થળોએ અક્ષત સાથે શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે તા. 1 જાન્યુઆરી થી 15 જાન્યુઆરી દરમિયાન સંઘ પરિવાર અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અરવલ્લીના ગામે ગામ અક્ષત અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ પાઠવવા માટે અભિયાન હાથ ધરવા આયોજન કરાયું છે.
કમલેશભાઈ સુતરીયા ઉત્તર ગુજરાત સહમંત્રી વીએચપી