ખેડબ્રહ્મા માતાજી મંદિરે શુક્રવારે પ્રક્ષાલન વિધિ હોઇ બંધ રહેશે, ભક્તોને પ્રવેશ અપાશે નહીં

અરવલ્લી સમાચાર બ્યુરો

ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરમાં ચૈત્ર સુદ એકમથી નવરાત્રિ ઉજવાશે. જેને લઇ ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરમાં શુક્રવારના રોજ પ્રક્ષાલન વિધિ યોજાશે જેથી દર્શનાર્થીઓ માટે મંદિર સવારે 8 થી સાંજના 5 વાગ્યા સુધી પ્રવેશ અપાશે નહીં. આરતી પૂજા નિયમિત રૂપે ચાલુ રહેશે અને ત્યાર બાદ ભક્તો દર્શનનો લાભ લઈ શકશે.

આ અંગે અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ જયદીપસિંહ રાઠોડે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, અગામી 9 એપ્રિલના રોજ મંગળવારથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થવાનો છે. તેને લઈને મંદિરમાં સવારે 8થી સાંજના 5 વાગ્યા દરમિયાન મંદિરમાં પ્રક્ષાલન વિધિ કરવામાં આવશે જેને લઈને મંદિર બંધ રહેશે. પ્રક્ષાલન વિધિ પૂર્ણ થયા બાદ રાબેતા મુજબ સાંજે મંદિરમાં આરતી થશે.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com