હિંમતનગરના કાંકરોલની સીમમાં તળાવમાં માછલીઓનાં મોત થયા

માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)

હિંમતનગર હિંમતનગરના કાંકરોલની સીમમાં આવેલા તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત થતાં ચકચાર મચી હતી. ગામના નાગરિક સોમવારે સવારે તળાવ નજીકથી પસાર થતા હતા. તે દરમ્યાન કિનારે મોટી સંખ્યામાં મૃત માછલીઓ જોવા મળતાં તેમને ગ્રામજનોને જાણ કરી હતી જેથી ગ્રામજનો એકઠા થયા હતા અને તેમના જણાવ્યા મુજબ તળાવમાં ઝેરી કેમિકલ છોડવામાં આવ્યું હોવાને કારણે માછલીઓનાં મોત થયું હોવાના આક્ષેપ કરાયો છે. જોકે આટલી મોટી સંખ્યામાં માછલીઓ મરી જતાં ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને તંત્ર દ્વારા આ અંગે તપાસ થાય તેવી સ્થાનિકોની માંગ છે.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com