માલદીવને ભારે પડી ઇઝરાયલ સાથેની દુશ્મની,ભારતમાં ઈઝરાયેલની એમ્બેસીએ ટ્વીટ કરીને કહી મોટી વાત.

તાહિર ધનસુરીયા (અરવલ્લી સમાચાર )

  • માલદીવ સાથેના વિવાદ પર ભારત માટે આગળ આવ્યું ઈઝરાયલ
  • ભારતમાં ઈઝરાયેલની એમ્બેસીએ ટ્વીટ કરીને કહી મોટી વાત. 
  • લક્ષદ્વીપમાં સમુદ્રના પાણીને સાફ કરવાના પ્રોજેક્ટ પર કામ કરવા તૈયાર છે.

ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો ત્યારે બગડવા લાગ્યા જ્યારે ત્યાંના મંત્રીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો. આ મામલે વિવાદ વધ્યા બાદ ત્યાંની સરકારે વિવાદાસ્પદ નિવેદન આપનારા ત્રણ મંત્રીઓને સસ્પેન્ડ કરી દીધા હતા. જો કે હજુ પણ ભારતના લોકોનો ગુસ્સો માલદીવ તરફ ઓછો થયો નથી. દરમિયાન આ સમગ્ર વિવાદમાં ઈઝરાયલ ખુલ્લેઆમ સામે આવ્યું છે. વાત એમ છે કે હવે ઈઝરાયલ પણ વડાપ્રધાન મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીથી નારાજ થયા છે અને ઈઝરાયલે જાહેરાત કરી છે કે તે 9 જાન્યુઆરીથી લક્ષદ્વીપમાં સમુદ્રના પાણીને શુદ્ધ કરવાના પ્રોજેક્ટ પર કામ કરવા માટે તૈયાર છે. નવી દિલ્હીમાં ઇઝરાયેલના રાજદૂતે જાહેરાત કરી છે કે તે ભારતીય દ્વીપસમૂહમાં પર્યટનને વધુ પ્રોત્સાહન આપવા માટે 9 જાન્યુઆરીથી લક્ષદ્વીપમાં ડિસેલિનેશન પ્રોગ્રામ શરૂ કરવા જઈ રહી છે.વાત એમ છે કે ભારતમાં ઈઝરાયેલની એમ્બેસીએ ટ્વીટ કર્યું કે, ‘અમે ગયા વર્ષે કેન્દ્રની મોદી સરકારની વિનંતી પર લક્ષદ્વીપના પ્રવાસે ગયા હતા, જેથી કરીને ત્યાંના ખારા સમુદ્રના પાણીને સાફ કરીને પીવાલાયક બનાવી શકાય.

 

ઈઝરાયેલ આવતીકાલથી જ આ પ્રોજેક્ટ શરૂ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. જે લોકો લક્ષદ્વીપની પાણીની અંદરની સુંદરતા વિશે જાણતા નથી, અમે તેમના માટે કેટલીક અદ્ભુત તસવીરો રજૂ કરી રહ્યાં છીએ.’ તો બીજી તરફ ઈઝરાયલ એમ્બેસીના પ્રવક્તા ગાય નિરે ટ્વીટ કર્યું કે ‘ હું લક્ષદ્વીપમાં રજાઓ ગાળવા ઈચ્છું છું.’ જણાવી દઈએ કે લક્ષદ્વીપ ચારે બાજુથી સમુદ્રથી ઘેરાયેલું છે અને અહીં પીવાલાયક મીઠા પાણીની મોટી સમસ્યા છે. એવું કહેવાય છે કે ઇઝરાયેલ સમુદ્રના પાણીને તાજા પાણીમાં ફેરવવામાં નિપુણતા ધરાવે છે. ઇઝરાયેલ લક્ષદ્વીપમાં પ્રવાસન વધારવા માટે દરિયાના પાણીને સાફ કરવાના પ્રોજેક્ટ પર કામ કરશે.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com