ગ્રામજનોમાં માંગ:મેઘરજના સિંદોરીયામાં કરંટ લાગતાં યુવાનનું મોત

માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)

મેઘરજ મેઘરજના સિંદોરીયામાં ઘરના લોખંડના દરવાજાને અડકતાં વીજ કરંટ લાગતાં 23 વર્ષીય યુવકનું મોત થતાં પરિવારજનો અને ગ્રામજનોમાં ભારે શોકની લાગણી ફેલાઈ હતી. સિંદોરિયાના ચોકિયાત મેહુલભાઈ કલાભાઈ ખેતી કરી અને પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા. તે દરમિયાન પોતાના ઘર આગળ લગાવેલ લોખંડના દરવાજાને અડકતાં એકાએક વીજ કરંટ દરવાજામાં ઉતરતાં મેહુલભાઈને અચાનક કરંટ લાગતાં મેહુલભાઈ જમીન ઉપર ઢળી પડ્યા હતા. ત્યારબાદ પરિવરજનોએ લાઈટ બંધ કરવા પ્રયત્નો કર્યા હતા. પણ એ પહેલા ચોકિયાત મેહુલભાઈ કલાભાઈ (23) વર્ષનું મોત નીપજતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ હતી. ત્યારે સરકાર દ્વારા મૃતક યુવકને સહાય આપવાની કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોમાં માંગ ઉઠી છે.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com