અજમાનું પાણી બ્લડ પ્રેશરથી લઈ શરદી સુધીની આ 5 બીમારીઓને દવા વિના કરે છે દુર

માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)

અજમા એવો મસાલો છે જે ભોજનની સ્વાદિષ્ટ બનાવવાની સાથે શરીર માટે પણ ફાયદાકારક છે. આ મસાલાનો ઉપયોગ કરવાથી શરીરની ઘણી બધી બીમારીઓ દવા વિના દુર થઈ શકે છે. સાધારણ દેખાતા આ નાના નાના દાણા શરીરને જબરદસ્ત ફાયદા કરે છે. અજમાનું પાણી કેટલીક સમસ્યાનો સરળ અને પ્રભાવી ઉપચાર છે. અજમાનું પાણી ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાને દુર કરવામાં મદદ કરે છે.

આજે અજમાના પાણીથી થતા આવા જ 5 ફાયદા વિશે તમને જણાવીએ. શરીરની 5 સમસ્યા એવી છે જેમાં અજમાનું પાણી દવા જેવું કામ કરે છે. આ સમસ્યામાં અજમાનું પાણી પીવાથી દવા લેવાની પણ જરૂર પડતી નથી.

અજમાના પાણીથી થતા 5 સ્વાસ્થ્ય લાભ

1. અજમામાં એન્ટી માઈક્રોબિયલ ગુણ હોય છે જે બેક્ટેરિયાના વિકાસને અટકાવે છે. તેનાથી સંક્રમણ સામે લડવામાં મદદ મળે છે અને રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે.

2. અજમાનું પાણી પીવાથી બેડ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટે છે અને ગુડ કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે. તેનાથી હૃદયના સ્વાસ્થ્યને ફાયદો થાય છે.

3. અજમાનું પાણી રક્તવાહિકાઓને આરામ આપે છે અને રક્ત પ્રવાહને સુધારે છે. તેનાથી બ્લડ પ્રેશર ઘટે છે.

4. અજમાના પાણીમાં એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે જે પેપ્ટિક અલ્સર અને અપચા સંબંધિત સમસ્યા દુર કરવામાં મદદ કરે છે.

5. અજમાનું પાણી એક નેચરલ કફ નિવારક છે. જે ઉધરસ, શરદી અને કફને કંટ્રોલ કરે છે. તે વાયુ માર્ગને સાફ કરવામાં મદદ કરે છે.

કેવી રીતે બનાવવું અજમાનું પાણી?

એક ગ્લાસ પાણીમાં એક ચમચી અજમા ઉમેરી તેને 10થી 15 મિનિટ પાણીમાં ઉકાળો. ત્યારબાદ ગેસ બંધ કરી તેને ગાળી લો અને તેમાં લીંબુ તેમજ મધ ઉમેરી પી જવું.

તમે અજમાને રાત્રે પાણીમાં પલાળી સવારે આ પાણીને ગાળીને ખાલી પેટ પી શકો છો. અજમાનું પાણી પીવાનો બેસ્ટ સમય સવારે ખાલી પેટ અને રાત્રે સુતા પહેલાનો છે.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com