તાહીર ધનસુરીયા (અરવલ્લી સમાચાર)
યાત્રાધામ શામળાજીમાં વિષ્ણુ મંદિર ટ્રસ્ટ અને યજમાનો દ્વારા તુલસી વિવાહનું આયોજન કરાયું હતું. ગુરૂવાર મોડી સાંજે તુલસી વિવાહનો શુભારંભ કરાયો હતો અને ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન અર્ચન કરાયા હતા.પ્રથમવાર બે દિવસીય તુલસી વિવાહનું આયોજન કરાતાં મોટી શ્રદ્ધાળુભાઈ બહેનોએ તુલસી વિવાહનો લ્હાવો લીધો હતો. આ શુભ પ્રસંગે શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા અને ભક્ત સમુદાય દ્વારા ભગવાન શામળિયાને ફળફળાદી અને મેવા મીઠાઈ પણ ધરાવાયા હતા.