સારોલીના આડાખાખરા નજીક જંગલમાં યુવકનો મૃતદેહ મળ્યો

માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)

વિજયનગરના સારોલીના આડાખાખરા નજીક જંગલમાં રાજસ્થાનના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.

વિજયનગરના સારોલીના આડા ખાખરા નજીક જંગલમાં એક યુવકનો મૃતદેહ પડ્યો હોવાની જાણ વિજયનગર પીએસઆઈ વાયબી બારોટને થતા સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચતા રાજસ્થાનના ઉદયપુર પાસિંગની બાઈક નંબર આરજે 27 એસએમ 3214 રસ્તા નજીક પડેલી મળી આવી હતી. જ્યાંથી થોડે દૂર એક યુવકનો મૃતદેહ પડેલો નજરે પડ્યો હતો. પીએસઆઈએ જણાવ્યું હતું કે બુધવારે બપોરે મૃતક રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના નયાગામ તાલુકાના થાણા ગામનો રાજેન્દ્ર શાંતિલાલ સુથાર હોવાનું પ્રાથમિક તપાસમાં માલૂમ પડ્યું હતું. જે બાદ લાશનું પંચનામુ કરી પોલીસે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી અને લાશને પોસ્ટમોર્ટમ માટે વિજયનગર રેફરલ હોસ્પિટલમાં ખસેડી હતી. રાજેન્દ્રના પિતા શાંતિલાલ ગુજરાત વન વિભાગમાંથી નિવૃત્તિ બાદ વતન થાણામાં રહેતા હતા. મૃતક રાજેન્દ્ર શાંતિભાઈનો મોટો દીકરો હતો.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com