માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)
5 એપ્રિલ, શુક્રવારે ચૈત્ર માસની એકાદશી છે. તેને પાપમોચની એકાદશી કહે છે. શુક્રવારે એકાદશી હોવાના કારણે ભગવાન વિષ્ણુની સાથે મહાલક્ષ્મીની વિશેષ પૂજા કરવાનો શુભ યોગ છે.
5 એપ્રિલના રોજ ઉપવાસની સાથે દાન પણ કરો. જાણો આ તિથિએ કયા કયા શુભ કાર્યો કરી શકાય છે…
- ચૈત્ર મહિનાની પ્રથમ એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠો અને સ્નાન કર્યા બાદ તાંબાના પાત્રથી સૂર્યદેવને જળ અર્પિત કરો. ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરતી વખતે અર્ઘ્ય ચઢાવો. સૂર્યદેવને લાલ-પીળા ફૂલ ચઢાવો.
- સૂર્યને જળ અર્પણ કર્યા પછી ઘરના મંદિરમાં ભગવાન ગણેશ, શિવ અને દેવી પાર્વતીની પૂજા કરો. જળ, દૂધ અને પંચામૃત અર્પણ કરો. હાર, ફૂલો અને કપડાંથી શણગાર કરો. મીઠાઈઓ અર્પણ કરો. ધૂપ-દીપ પ્રગટાવો અને આરતી કરો.
- ગણેશજીની પૂજા કર્યા પછી, ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા શરૂ કરો. ભગવાનને દક્ષિણાવર્તી શંખથી અભિષેક કરો. માળા, ફૂલ અને વસ્ત્રો, કુમકુમ, ગુલાલ, અબીર વગેરે પૂજા સામગ્રી અર્પણ કરો. પૂજા દરમિયાન એકાદશીનું વ્રત રાખવાની પ્રતિજ્ઞા લો. મીઠાઈઓ અર્પણ કરો. અગરબત્તી પ્રગટાવીને આરતી કરો.
- જે લોકો એકાદશીનું વ્રત રાખે છે તેમણે દિવસભર અનાજનું સેવન ન કરવું જોઈએ. જે લોકો માટે ભૂખ્યા રહેવું શક્ય નથી તેમણે દૂધ અને ફળોનું સેવન કરવું જોઈએ. ફળોનો રસ પી શકો છો. સવાર-સાંજ પૂજા કરો અને ભગવાન વિષ્ણુના મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરો. ભગવાન વિષ્ણુ અને તેમના અવતારોને લગતી વાર્તાઓ વાંચો અને સાંભળો.
- જે લોકો એકાદશીનું વ્રત રાખે છે તેમણે એકાદશીના દિવસે આખો દિવસ ઉપવાસ કરવો જોઈએ. બીજા દિવસે એટલે કે દ્વાદશી તિથિના દિવસે સવારે વહેલા ઉઠો અને સ્નાન કર્યા પછી ફરીથી પૂજા કરો. પૂજા પછી કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવો અને પછી જાતે જ ખાઓ. પરોપકાર કરો. આ રીતે એકાદશીનું વ્રત પૂર્ણ થાય છે.
- શુક્ર ગ્રહની વિશેષ પૂજા પણ કરી શકો છો. શુક્ર ગ્રહની પૂજા શિવલિંગના રૂપમાં કરવામાં આવે છે. તેથી શુક્રવારે શિવલિંગ પર જળ અને દૂધ ચઢાવો. બિલ્વના પાન, ધતુરા, માળા અને ફૂલ અર્પણ કરો. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો.